Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીના નવાડેલા રોડ પર બે દિવસીય કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

મોરબી : શ્રી વિસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી-૩ નવાડેલા રોડ મોરબીમાં તા. ૦૪-૧૨ ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાકે અને તા. ૦૫-૧૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન કેન્સર નિદાન કેમ્પ યોજાશે

જે કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉ નોંધાવી જવા જણાવ્યું છે

(9:49 pm IST)