Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર :નવા 117 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 124 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 80 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 6 કેસ,વીઅસવદરમાં 13 કેસ, માણાવદરમાં 12 કેસ કેશોદમાં 3 કેસ, વંથલીમાં 2 કેસ, માળીયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 117 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 124 દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

  આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 117 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 80 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 6 કેસ,વીઅસવદરમાં 13 કેસ, માણાવદરમાં 12 કેસ કેશોદમાં 3 કેસ, વંથલીમાં 2 કેસ, માળીયામાં 1 કેસ નોંધાયો છે

 

(8:21 pm IST)