Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ભાવનગરમાં પુસ્‍તક વિમોચનઃ કુંડળધામ મંદિર પ્રેરિત સ્‍કુલ કીટનું વિતરણ

ભાવનગરમાં શિશૂ વિહાર સંસ્‍થાના સ્‍થાપક માનભાઇના જીવન ચરિત્રના પુસ્‍તકનું કુંડળધામ સ્‍વામીનારાયણ મંદિરના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીના હસ્‍તે વિમોચન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.
રાજકોટ તા. ર૪ :.. શ્રી સ્‍વામીનારાયણ મંદિર કુંડળધામના અધ્‍યક્ષ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીના હસ્‍તે શ્રી નિર્મોહીબેન ભટ્ટ દ્વારા તૈયાર થયેલ શિશુ વિહાર સંસ્‍થાના સ્‍થાપક માનભાઇના જીવન ચરિત્રના હિન્‍દી પુસ્‍તકનું વિમોચન કરાયું છે.
આ પ્રસંગે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીની પ્રેરણાથી શ્રી સ્‍વામી નારાયણ મંદિર કુંડળધામની રૂપિયા પ૦૦૦૦૦ ની સૌજન્‍ય સહાયથી તૈયાર થયેલ ગરીબ અને અસહાય બાળકો માટેની સ્‍કુલ કીટ વર્ષ ર૦રરનું પણ ગુરૂજીના હસ્‍તે લોકાર્પણ થયું.
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ઇજનેર રમેશભાઇ આહલપરા, શિશુ વિહાર સંસ્‍થાના મંત્રી ડો. નાનકભાઇ ભટ્ટ તથા સહ કાર્યકરોની પ્રેરક ઉપસ્‍થિતી સાથે યોજાયેલ ઉપક્રમે પ્રસંગે પૂજય શ્રી જ્ઞાનજીવનદાસજી  સ્‍વામીએ શિશુ વિહારની નિષ્‍કામ સેવા પ્રવૃતિને બિરદાવી હતી. કાર્યક્રમ ભાવનગર ખાતે યોજાયો હતો.

 

(11:07 am IST)