Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજય કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ હોમ આઇસોલેટ થયા

ધ્રોલ-જામનગર,તા. ૨૪ : રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઈસોલેટ રહી સારવાર મેળવી રહ્યા છે. તેઓની તબિયત સ્થિર જણાવ્યુ હતુ.

રાઘવજીભાઈ કોરોનાની બીજી લહેર વખતે પણ સંક્રમિત થયા હતા, તે સમયે તેઓને જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલ બાદ અમદાવાદ ખસેડાયા હતા, સારવાર બાદ તેઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. રાઘવજીભાઈને શરદી જેવા સામાન્ય લક્ષણો

જણાતા તબીબોની સલાહ મુજબ તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતા સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવી લેવા તેમણે અપીલ કરી છે.

(12:55 pm IST)