Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મોરબી સામે કાંઠે વિકાસના અધૂરા કામો

મોરબી :  મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય અરુણાબા યશવંતસિંહ જાડેજાએ લત્ત્।ાવાસીઓને સાથે રાખી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સામાકાંઠે પાવનપાર્ક સોસાયટી તેમજ અન્ય સોસયટીના રોડના ખાતમુર્હત કરવાના નક્કી થઇ ગયા હતા કામ ચાલુ કરવાના હતા તો કામ બંધ કેમ રાખવામાં આવ્યા તેનું કારણ શું ? તેવો પ્રશ્ન કર્યો છે સો ઓરડી વિસ્તારમાં કામ ચાલુ કેમ કરાવ્યા એક જ વોર્ડમાં આવો ભેદભાવ કેમ કરાય છે હાલ ચુંટણી બહાનું કાઢી નાગરિકો સાથે અન્યાય કરે છે લોકશાહીમાં બધા સરખા હોય છે જેથી લોકોના કામોમાં ભેદભાવ ના હોવો જોઈએ તેમ જણાવ્યું છે.આવેદન પાઠવ્યું તે તસ્વીર.

(11:52 am IST)