Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ચોટીલાના એએસઆઇ અબ્દુલભાઇ દરવાડીયાએ પોલીસ સ્ટેશનના ધાબા ઉપર ગળેફાંસો ખાઇ લીધો

બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૨૪ : ચોટીલા પોલીસમાં ફરજ બજાવતા જમાદારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચેલ છે.

૫૫ વર્ષિય એએસઆઇ અબ્દુલભાઇ દરવાડીયાએ કોઇ અગમ્ય કાણોસર પોલીસ મથકના ટેરેસ ઉપર ગળેફાંસોખાઇ આત્મહત્યા કરી લીધી છે વહેલી સવારે પોલીસ કર્મચારીઓ નાઇટ ડયુટી બજાવી મથકે આવતા જમાદારે ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોતા નીચે ઉતારી હોસ્પિટલ ખસેડેલ હતા પરંતું કાળ તેનું કામ કરી ચૂકયો હતો.

ઘટનાની થાણા અધિકારને જાણ કરતા આવી પહોચેલ હતા. આત્મઘાતી પગલાની કરૂણ ઘટનાથી પોલીસ બેડામાં શોકનું મોજુ છવાયેલ છે.

પગલા પાછળ ઘણા સમયની બિમારી જવાબદાર હોવાની ચર્ચા ઉઠી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

(2:42 pm IST)