Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જૂનાગઢમાં કોરોનાની પીછેહઠ, માત્ર એકજ પોઝીટીવ કેસ નોંધાયો

(વિનુ જોષી) જૂનાગઢ,તા.૨૪ : જૂનાગઢમાં કોરોનાની પીછેહેઠ થતાં ૨૪ કલાકમાં માત્ર એકજ પોઝીટીવ કેસ નોંધાયો હતો.

દેશ અને ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ફરી કોરોનાએ માથુ ઉંચકયુ છે પરંતુ જુનાગઢમાં કોરોનાએ પીછેહઠ કરતાં શહેરમાં એક અને જુનાગઢ ગ્રામ્યમાં પણ એક જ પોઝીટીવ કેસ નોંધાયો હતો.

જ્યારે ભેંસાણ અને વિસાવદરમાં પણ એક-એક નવો કેસ નોંધાતા જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં ચાર નવા દર્દીનો ઉમેરો થયો હતો

બીજી તરફ જૂનાગઢ સીટીમાં એક કેસ વધવાથી સામે ત્રણ દર્દી સ્વસ્થ થતાં તેને ડિસચાર્જ કરવામાં આવેલ.

દરમ્યાન જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા ૪ થઇ છે. તેમાં ૯ ઘર અને વસ્તી ૪૦ની હોવાનુંૈ જણાવાયું છે.

(12:44 pm IST)