Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

માળીયાના સરવડમાં ઉત્તરક્રિયામાં 50થી વધુ માણસો ભેગા કરનાર સામે ગુન્હો દાખલ

ઉતરક્રિયામાં વધુ માણસો ભેગા કર્યાનું ધ્યાન આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

માળીયા : કોરોના મહામારીને લઈને સરકારે સારા-માઠા પ્રસંગોમાં 50 થી વધુ માણસો ભેગા નહિ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે માળીયાના સરવડ ગામે એક વ્યક્તિએ પોતાની માતાની ઉત્તરક્રિયામાં 50થી વધુ માણસો ભેગા કર્યા હોવાનું ધ્યાને આવતા માળીયા પોલીસે આ મામલે જવાબદારો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ.હિતેશભાઇ મુળજીભાઇ મકવાણા (ઉ.વ ૪૮) એ સરકાર તરફ ખુદ ફરિયાદી બનીને આરોપી મગનભાઇ કાનજીભાઇ દેલવાણીયા (ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે- દેવીપુજક વાસ સરવડ, તા-માળીયા મી) સામે ફરિયાદ નોંધાવી હતી

(10:59 pm IST)