Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

નરેન્‍દ્રભાઇના આગમનની જાત માહિતી મેળવવા ગૃહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી આટકોટમાં

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૪ : વડાપ્રધાનના આગમનની જાત માહિતી મેળવવા રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે આટકોટ આવશે.
આટકોટ હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનનું આગમન થવાનું હોય તેમની સલામતીની જીણામાં જીણી માહિતી મેળવવા રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે બપોરે સાડા ત્રણ વાગ્‍યે આટકોટ આવવાના છે.
ગૃહ રાજ્‍ય મંત્રી સાથે રેન્‍જ આઇ.જી.સંદિપસિન્‍હા, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુ પણ આટકોટ આવી સ્‍થળ તપાસ કરશે.(

 

(11:04 am IST)