Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પોરબંદરના ટુકડા ગોસાના રસીલાબેનનું મણકાનું ઓપરેશન કરાવાયા બાદ મોત

રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાંથી ગઇકાલે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા'તાઃ કેન્‍સર હોવાનો રિપોર્ટ પણ ગઇકાલે જ આવ્‍યો હતો

રાજકોટ તા. ૨૪: પોરબંદરના ટુકડા ગોસા ગામે રહેતાં રસિલાબેન હરસુખભાઇ ટુકડીયા (ઉ.૩૪) નામના બ્રાહ્મણ મહિલાને મણકામાં તકલીફ હોઇ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં બાર દિવસ પહેલા ઓપરેશન કરાવાયું હતું. ગઇકાલે તેમને એચસીજી હોસ્‍પિટલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રસિલાબેનને સંતાનમાં બે પુત્રી છે. તેમના ભાઇ સતિષભાઇના કહેવા મુજબ મણકાનું ઓપરેશન થઇ ગયા બાદ ઓપરેશનની જગ્‍યાએ ગાંઠ પણ નીકળી હતી. ગઇકાલે જ આ ગાંઠ કેન્‍સરની હોવાનો રિપોર્ટ આવ્‍યો હતો. વધુ સારવાર માટે રસિલાબેનને સિવિલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી.

(11:42 am IST)