Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વિંછીયામાં નર્મદાના પાણીચોરી મુદ્દે ઉપવાસ આંદોલનનો બીજો દિ'

આટકોટ, જસદણ,તા.૨૪: વિછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી  ભુપતભાઈ કેરલિયા ની યાદીમાં જણાવ્‍યા મુજબ  વીંછિયા વિસ્‍તારમાં પેટા કોન્‍ટ્રાકટર દ્વારા પાણીનું વિતરણ પોતાની મનમાની મુજબ અમુક ગામોને પૂરૂં આપવામાં આવતું નથી. જે પાણીની ઘટ બતાવીને અશોક માલકીયા પોતાની વાડીએ, પોતાના ઘરે અને પોતાના સગા વ્‍હાલાને ત્‍યાં એર વાલ્‍વ મૂકીને બિન અધિકળત રીતે પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. તે અંગે કાર્યપાલક ઇજનેર રાજકોટ દ્વારા કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવેલ નથી તેથી આજથી સેવા સદન વીંછિયા તાલુકાના ૫ (પાંચ) ભાજપ આગેવાનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. જેનો આજે બીજો દિવસ છે.

(11:54 am IST)