Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના મહામારી અને વાવાઝોડામાં નિસ્વાર્થ સેવા કરનાર અગ્રણીઓના સન્માન

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના મહામારીમાં તેમજ વાવાઝોડાના મુશ્કેલ સમયમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સેવાભાવીઓના સન્માન કરવામાં આવ્યા હતા

  શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિહં જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિહં જાડેજા અને ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી તેમજ તાઉતે જેવા વાવાજોડાનાં સંકટ સમયમાં સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરનાર જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર  ભાજપ લાખાભાઇ જારીયા તેમજ સામાજીક કાર્યકર હસીનાબેન અને મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું

(12:40 am IST)