Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સુરેન્દ્રનગરના આંગડીયા સાથેની છેતરપીંડીના બનાવમાં રાજકોટના ત્રણ આરોપી ૬ દિ' રીમાન્ડમાં

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગરની વિશ્વમ આંગડિયા પેઢીના માલિકને વિશ્વાસમાં લઇને રૂ. ૨૪.૬૩ લાખની છેતરપિંડીના ગુનામાં સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી અને એએસઆઇ એસ.વી.દાફડા સહિતની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

રાજકોટના ઝડપાયેલા બ્રિજેશ ઉર્ફે ચંદ્રેશ કાંતીલાલ, જેકલેશ ધીરજભાઈ સોમૈયા તેમજ તુષાર ભીખાભાઇને બુધવારે સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આ ત્રણેય આરોપીઓના તા. ૨૯ જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ ગુનામાં અન્ય બે આરોપીઓને પકડવા પણ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

(11:34 am IST)