Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

બગસરામાં મામલતદારનું વિદાય સન્માન

બગસરાઃ અહીં ત્રણ વર્ષથી મામલતદાર તરીકે ફરજ બજાવતા આઇએસ તલાટ નિવૃત થતા તેમનો સન્માન સમારંભ સ્વામિનારાયણ મંદિર બગસરામાં રાખેલ હતો. જેમાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, સંતો, માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતિભાઇ સતાસિયા, વકીલ મંડળમાંથી ધીરૂભાઇ કોટડીયા, વોરા સમાજના ઇસાભાઇ ભારમલ, અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સ પ્રકાશભાઇ રાણીંગ, એગ્રો અસોસિએશન કિરાણા એસોસિએશનના દિનેશ હડિયલ, મેઘાણી હાઇસ્કુલના પ્રિન્સિપાલ પરમારશ્રી, દિનેશભાઇ વિસાણી, ગિરધરભાઇ મારડિયા, બ્રહ્મ સમાજના મહેશભાઇ વ્યાસ, મામલતદાર ઓફીસના ભીંડી, મામલતદાર ઉપાધ્યાય, વિસાણીશ્રી વિકાસભાઇ મોદી સહિતના ઉપસ્થિત રહીને નિવૃત થતા મામલતદાર તલાટ પુષ્પકુંજને પડો તથા શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા ટ્રસ્ટી તથા ભરતભાઇ સોમાણીએ કર્યું હતું. (તસ્વીરઃ સમીર વિરાણી, બગસરા)

(11:54 am IST)