Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા અને શહેર ભાજપ દ્વારા ધોરાજી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા અને શહેર ભાજપ દ્વારા ધોરાજી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

 ભાજપના પૂર્વાવતાર જનસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જમ્મુ - કાશ્મીર માટે પાેતાના પ્રાણનું બલિદાન આપનાર વીર શહીદ સ્વ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિને ભાજપ કાર્યાલય ધોરાજી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો  પુષ્પાંજલિ અર્પણ કરી... આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

 આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી મનીષભાઈ કંડોલીયા વિજયભાઈ બાબરીયા ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા કૌશિક વાગડિયા પરેશભાઈ વાગડિયા વિઠ્ઠલભાઈ હિરપરા સિરોયાભાઈ યુવા ભાજપ માંથી મિહિર હિરપરા  કેયુર બારોટ વિગેરે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

(7:36 pm IST)