Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જેતપુરનાં વૈષ્‍ણવાચાર્ય શ્રી કૃષ્‍ણકુમારજી - આશ્રયકુમારજીની અમેરિકા - બહેરીનની ધર્મપ્રચાર યાત્રા પૂર્ણ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૪ : શહેરની પુરૂષોત્તમ ધામ હવેલી ખાતે બિરાજતા વૈષ્‍ણવાચાર્ય શ્રી કૃષ્‍ણકુમારજી મહોદય તથા શ્રી આશ્રયકુમારજી (કડી - અમદાવાદ) કોરોના બાદ પુષ્‍ટીમાર્ગીય ધર્મપ્રચાર અર્થે અમેરિકા તેમજ બહેરીનના જુદા જુદા શહેરોમાં સત્‍સંગ, પ્રવચન, ઉત્‍સવોનું આયોજન કરાયેલ હતું. જેમાં ઉપસ્‍થિત રહેલ અને વૈષ્‍ણવોને ધર્મલાભ આપેલ. બહેરીન ખાતેશ્રી વલ્લભ ગીતાનું આયોજન ટી.એચ.એમ.સી. હોલ ક્રિષ્‍ના મંદિરમાં કરેલ. જેમાં બહોળી સંખ્‍યામાં વૈષ્‍ણવો ઉપસ્‍થિત રહ્યા હતા.

યુવાનોને ધર્મ તરફ વાળવા શ્રી કૃષ્‍ણકુમારજી મહોદય તેમના પ્રવચનમાં ભાર મુકે છે ને યુવાનો ધર્મ તરફ વળશે તો અતીતી અત્‍યાચાર જેવા દુષણો દુર થશે.

(10:58 am IST)