Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જશાપરમાં પૂ. ધીરગુરૂદેવના નગર પ્રવેશઃ ધર્મોલ્લાસ

રાજકોટ, તા. ર૪ : શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ અને સમસ્ત ગામના ઉપક્રમે પૂ. ધીરગુરૂદેવ પોરબંદરથી મોડપર થઇ સવારે ૯ કલાકે પ્રેમ ચબુતરો પધારતાં જૈન જયંતિ શાસનમના જયનાદે આકાશગુંજી ઉઠ્યું હતું.

બહેનોઍ ભકિતગીતોની રમઝટ બોલાવી હતી. શ્રી નંદકિશોર ગૌશાળાના વિશાળ પટાંગણે ધર્મસભામાં ગુરૂદેવે ગ્રામવાસીઓની પ્રેમગુરૂદેવ પ્રત્યેની ભકિત અને શ્રધ્ધાને બિરદાવી કહેલ કે જે મળ્યું છે તે આપણુ નથી તેમાં બધાનો સહિયારો ભાગ છે તેમ સમજી પરોપકારનીભ ાવના રાખવાથી કલ્યાણ થશે.

જીવદયા અનુમોદક કૂપનમાં ભાવિકોઍ સુંદર લાભ લીધેલ. ચુરમાના મોદકની પ્રભાવના કરાયેલ. રાજકોટ જૈન બોર્ડિંગના વિમલ પારેખ વિપુલ પંચમીયા તથા જામજાધપુરના હિમાંશુ મહેતા, અનિલ શાહ વગેરેઍ ગ્રામજનોના ઉત્સાહને બિરદાવી ધન્યતા અનુભવી હતી. રવિવારે તા. ર૬ ને રવિવારે ચાતુર્માસ પ્રવેશોત્સવને સફળ બનાવવા કે.ડી. કરમુર અને સમસ્ત ગામજનો જહેમત ઉઠાવી રહેલ છે.

(11:48 am IST)