Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમરેલીમાં કેળવણીકાર વસંતભાઇ ગજેરા સંચાલિત વાત્‍સલ્‍યધામ - અનાથ આશ્રમની પાળિયાદના પ.પૂ.ઉમાબાએ મુલાકાત લીધીઃ સેવાકીય પ્રવૃતિ બિરદાવી

અમરેલી તથા ગુજરાતના ગૌરવસમા કેળવણીકાર વસંતભાઇ ગજેરાની અનાથ બાળકો પ્રત્‍યેની લાગણી તથા સેવાનિષ્‍ઠાથી અમે પ્રભાવિત થયા પ.પૂ.ઉમાબા પાળિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૪ :  જિલ્લામાં કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન મળે તથા જિલ્લામાં કોઇપણ જ્ઞાતિની કોઇપણ દિકરી શિક્ષણથી વંચિત ના રહે તે માટે વિદ્યાસભામાં ધો.૧ર સુધીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીને માત્ર પચાસ (પ૦) ટકા ફી માં શિક્ષણની સુવિધા આપનાર કેળવણીકાર વસંતભાઇ ગજેરા સ્‍થાપિત તથા સંચાલિત વાત્‍સલ્‍યધામ - અનાથઆશ્રમ - સુરતની સંતશ્રી વિસામણ મહારાજની ઐતિહાસિક સુપ્રસિધ્‍ધ જગ્‍યાના મહંત પ.પૂ.ઉમાબા તથા પૂ.ભયલુભાઇએ મુલાકાત લઇને વાત્‍સલ્‍યધામના બાળકો સાથે સંવાદ કરીને ભામાષા, કેળવણીકાર વસંતભાઇ ગજેરા દ્વારા વાત્‍સલ્‍યધામ આઠસો(૮૦૦) બાળકોને વિનામૂલ્‍યે રહેવા જમવા તથા  શિક્ષણ સુવિધા પુરી પાડીને સમાજમાંથી તરછોડાયેલા, નિરાધાર, મજબુર, બાળકોને સ્‍વાવલંબી બનાવી પગભર બનાવીને એક નવી જ જિંદગી આપવા બદલ પ.પૂ.ઉમાબા ખુબ જ પ્રભાવિત થયા હતા તથા વતનના રતન વસંતભાઇ ગજેરા, વાત્‍સલ્‍યધામના કર્મચારીઓ તથા માસુમ બાળકોને આર્શિવાદ આપતા જણાવ્‍યું હતું કે કેળવણીકાર વસંતભાઇ ગજેરાની અનાથ બાળકો પ્રત્‍યેની લાગણી પ્રેમ તથા સેવાનિષ્‍ઠાથી અમો ખરેખર પ્રભાવિત થયા છીએ આ તકે વાત્‍સલ્‍યધામના સ્‍થાપક તથા સંચાલક વસંતભાઇ ગજેરાએ પાળિયાદના મહંત પ.પૂ.ઉમાબા, ભયલુભાઇ,  સેવકગણ  આમંત્રિત મહેમાનો તથા ઉપસ્‍થિત સર્વેનો પ્રત્‍યક્ષ મુલાકાત લેવા બદલ આભાર માન્‍યો હતો.

(12:58 pm IST)