Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામનગર ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસે ‘પુષ્‍પાંજલિ' અર્પણ

જામનગરઃ ભારતીય જનતા પાર્ટીના સહસંસ્‍થાપક ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસના દિવસે શહેર ભાજપ કાર્યાલય ખાતે ‘પુષ્‍પાંજલિ' અર્પણ કરવામાં આવેલ તથા તેઓના જીવન કવન ઉપર ઉદબોધન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત કોર્પોરેટર ડિમ્‍પલબેન રાવલ દ્વારા સમૂહગીતથી કરવામાં આવેલ. શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશ સોની, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ અધ્‍યક્ષ અને ગોવા શિપયાર્ડના ડાયરેક્‍ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્‍ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પવનહંસના ડાયરેક્‍ટર અમીબેન પરીખ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા વગેરે દ્વારા દીપ પ્રાગ્‍ટય કરવામાં આવેલ.
ભાજપ શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા દારા સ્‍વાગત પ્રવચનમાં ઉદબોધન કરવામાં આવેલ કે, ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ ઉપલક્ષયમાં આપણે સૌએ તેઓને ‘પુષ્‍પાંજલિ' અર્પણ કરી. ઉપરાંત આગામી સમયમાં મુખ્‍યત્‍વે વળક્ષારોપણ તથા સદસ્‍યતા અભિયાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ. વીરાંજલી કાર્યક્રમ અંગે શહેર સંગઠન, કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવેલ કે કાર્યક્રમ ખુબ સફળ રહ્યો, અને તેઓ વિશેષ થી જણાવેલ કે અનેક લોકોએ ફોન કરી એ કાર્યક્રમનું  ફરી આયોજન કરવા અનુરોધ કરેલ છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવેલ કે જામનગરમાં આ ૧૪ મોં કાર્યક્રમ હતો, અને હવે જ્‍યાં કયાંય કાર્યક્રમ થાય તેઓએ જામનગર શહેરની જેમ તૈયારીઓની પ્રેરણા લેવા સૂચવેલ છે. શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીનું સ્‍વાગત કરેલ.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ આગામી કાર્યક્રમો વિષે માહિતી આપેલ. ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ઉપાધ્‍યક્ષ કે.જી. કનખરાને સંગઠન સંરચનાની જવાબદારી તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા અશ્વિનભાઈ તાળાને વળક્ષારોપણ કાર્યક્રમના ઇન્‍ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવેલ, આ તબ્‍બકે આગામી દિવસમાં શહેરમાં પ્રત્‍યેક વોર્ડમાં વળક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેશે, તથા વળક્ષઓની જાળવણીની પણ ચિંતા કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વોર્ડમાં સદસ્‍યતા અભિયાન હાથ ધરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી શહેર ઉપાધ્‍યક્ષ કે.જી. કનખરા દારા ૨૫ જૂનના દિવસને અનુસંધાને જણાવવામાં આવેલ કે, એ દિવસ કાળો દિવસ રહ્યો હતો દેશ માટે. કોંગ્રેસ દ્વારા ૨૫ જૂન ૧૯૭૫ ના દિવસે કટોકટી લાદવામાં આવેલ. આ કાળા દિવસના દિવસે બ્‍લેક ડે ના પ્‍લે કાર્ડ સાથે દેખાવ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેના વિશે માહિતી આપવામાં આવેલ.
સુરેન્‍દ્રનગરના પૂર્વ અધ્‍યક્ષ તથા મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ શ્‍યામાપ્રસાદ મુખરજીના બલિદાન વિશે ઉદબોધન કરેલ. તેઓએ ઉદબોધનમાં જણાવેલ કે, એક સમય જયારે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ ઉપર પ્રતિબંધ લાડવાનો પ્રયાસ કરાયો ત્‍યારે લોકશાહી તથા રાષ્‍ટ્રવાદને જીવંત રાખવા માટે સાંસદમાં કોઈ પ્રતિનિદિતવા કરી શકે તે ઉદેશથી જનસંઘની સ્‍થાપના કાર્યક્રમનું સફળ સંચાલન શહેર મહામંત્રી -કાશભાઈ ભામણીયા તથા વિજયસિંહ જેઠવા એ કરેલ.
આ કાર્યક્રમમાં ડો. વિમલભાઈ કગથરા, મોરબીના પ્રભારી પ્રકાશભાઈ સોની, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, મહામંત્રી પ્રકાશભાઈ ભામણીયા, વિજયસિંહ જેઠવા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા, દંડક કેતન ગોશરાણી, ગોવાશિપ યાર્ડના ડાયરેક્‍ટર હસમુખ હિંડોચા, પવનહંસના ડાયરેક્‍ટર અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્‍ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ અધ્‍યક્ષ અશોકભાઈ નંદા, સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણીઃ જામનગર)

 

(1:06 pm IST)