Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સ્વામીનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ધામ ખાતે સવારથી ગુરૂપૂર્ણિમાની ઉજવણી

પુજન-અર્ચન સહિતના કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૪ : સ્વામીનારાયણ મુખ્ય મંદિર જુનાગઢધામ ખાતે આજે સવારથી ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવી રહી છે.

શહેરમાં જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિરે ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાસજી, શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) અને કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી.સ્વામી)ના માર્ગદર્શન હેઠળ આજે સાંજે ૬ કલાકે ગુરૂપૂર્ણિમાનું આયોજન કરવામાં આવેલ છે.

૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશિવાદ સાથે સદ્દગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં કોરોના ગાઇડ લાઇન મુજબ આજે ઢળતી સાંજે ગુરૂપુજન ર૦ર૧ યોજાશે. આ પ્રસંગે પુજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે.

ગુરૂપૂર્ણિમાં પ્રસંગે સંતોના આશીર્વાદ મેળવવા આમંત્રીત હરિભકતોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પેરવા અનુરોધ કરાયોછે.

(1:09 pm IST)