Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સગીર વચના કારણે લગ્ન ન થતા વંથલીના બંટીયાની સગીરાનો આપઘાત

પિતાએ બાઇક ન આપતા બાંટવાના સગીરાની આત્મહત્યા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૪ : જુનાગઢ જિલ્લામાં ર૪ કલાક દરમ્યાન બે સગીરના અલગ-અલગ કારણસર આપઘાત પોલીસ દફતરે નોંધાયા હતા.

વંથલી તાલુકાના બંટીયા ગામની ચંપા (ઉ.૧૭) નામની સગીરાને તેના જ ગામનો વિજય બાવનજીભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હતો.

આથી ચંપાએ પોતાની ઉંમર નાનીહોવા છતા પ્રેમી વિજય સાથે લગ્ન કરવાની જીદ કરી હતી.

ગઇકાલે બપોરના ચંપાએ તેના પિતા લાખાભાઇ બાલુભાઇને પ્રેમી વિજય સાથે લગ્ન કરાવી આપવાનું કહેતા પિતા લાખાભાઇએ ચંપાને સગીર હોવાથી હાલ લગ્ન થઇ શકે નહી તેમ કહી લગ્નની ના પાડી હતી.

આ બાબતનું માઠુ લાગી આવતા ચંપાએ પોતાના ઘરે મકાનની આડી સાથે દોરી વડે લટકીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ અંગેની જાણ થતા વંથલી પોલીસ દોડી જઇ સગીરાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા એક આવા આપઘાના બનાવમાં બાંટવાના નિર્ભય (ઉ.૧૭) નામના સગીરે પણ ગળાફાંસો ખાઇને સોડ તાણી લીધી હતી.

મૃતક નિર્ભયને બહારગામ જવુ તેથી તેણે તેના પિતા નિલેશભાઇ વલ્લભભાઇ લોઢીયાને મોટર સાયકલ આપવા જણાવેલ.

પરંતુ નિલેશભાઇએ બાઇકના કાગળ પુરા ન હોય જેથી બીજા વાહનમાં બહારગામ  જવુ હોય તો જા તેમ કહેતા નિર્ભયે ગળાફાંસો ખાઇને મોતને મીઠુ કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

(1:15 pm IST)