Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબીના માળિયા ફાટક નજીક વેલનાથબાપુના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: હવન અને શિખર મુર્હત સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી

ભાવિકોએ કોવીડ ગાઈડલાઈનના નિયમ સાથે ઉપસ્થિત રહીને ધાર્મિક મહોત્સવનો લાભ લીધો

મોરબી શહેરના માળિયા ફાટક નજીક આવેલ વેલનાથબાપુના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો

આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વેલનાથ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હોય જેમાં હવન અને શિખર મુર્હત સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઈ હતી જે ઉજવણીમાં શ્રદ્ધાળુઓ પણ કોવીડ ગાઈડલાઈનના નિયમ સાથે ઉપસ્થિત રહીને ધાર્મિક મહોત્સવનો લાભ લીધો હતો

(9:59 pm IST)