Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ

આઝાદીના અમૃત મહોત્સવ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિતે ભાવનગર શહેર ભાજપના મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ સેવાકાર્ય કરવામાં આવેલ. જેમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધરીયા, મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન માંગુકિયા, મહામંત્રી મલ્લિકાબેન આચાર્ય, રંજનબેન પરમાર સહિત મોરચાના પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:36 am IST)