Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જામનગર આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા રાહત

જામનગર : રામેશ્વર મંદિરના પટાંગણમાં આણંદાબાવા સેવા સંસ્થા વતી દેવીપ્રસાદ બાપુના સહયોગથી રામેશ્વરનગર તેમજ તેની આજુબાજુના નદી કાંઠાની સોસાયટીઓમાં પુરના પાણી ફરી વળતા લોકોને ઘણુ બધુ નુકશાન થયેલ તેમાં આણંદાબાવા સંસ્થાએ ૭૦૦ ઘરોમાં અનાજ-કઠોળ-શાકભાજીની ત્રણ-ત્રણ કીટ બનાવીને લોકોની મુશ્કેલીમાં રાહત આપી વિતરણ કરેલ. આ કીટ વિતરણ સમયે આણંદાબાવા સેવા સંસ્થાના પરમપુજ્ય દેવીપ્રસાદજી મહારાજશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રી પ્રવિણભાઇ માડમ, કોર્પોરેટરશ્રી કિશનભાઇ માડમ, સ્થાનિક કાર્યકર ભાવીશાબેન ધોળકીયા, કમલેશભાઇ હાડા,મનોજભાઇ ગોહિલ, હિતેશભાઇ ચૌહાણ વિગેરે લોકો દ્વારા હાજર રહી કિટ વિતરણ કરવામાં આવેલ હતી. 

(1:42 pm IST)