રાજકોટ, તા., ૨૪: રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને સર્જન ડો.હર્ષદભાઇ પ્રેમલાલભાઇ ખખ્ખર પરીવાર દ્વારા ગો.વા.નયનાબેન હર્ષદભાઇ ખખ્ખર તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૩ ઓકટોબર સુધી જોડીયાની શ્રી લોહાણા મહાજનવાડી, ભાટીયા શેરી, જી.જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અનંત બ્રહ્માંડના શ્રીહરી કૃષ્ણ ભગવાન, કુળદેવી પૂ.સતી માતાજીની અસીમ કૃપા તથા પૂ. રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી વ્રજભુમી સમાન જોડીયા ગામ ખાતે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસાસને આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય રાજકોટ નિવાસી પ.પૂ.શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઇ એલ. પંડયા (મુખ્યાજી દાદા) પોતાની માધુર્યમય શૈલીમાં કથા ગંગાનું રસપાન કરાવશે.
શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ તા. ર૭ને સોમવારે સવારે ૯.૪પ વાગ્યે પોથીયાત્રા સાથે થશે અને કથાનો પ્રારંભ સવારે ૧૦.૩૦ વાગ્યે શાસ્ત્રી શ્રી ભાવેશભાઇ એલ.પંડયા વ્યાસપીઠ ઉપરથી કરશે અને દરરોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી રસપાન કરાવશે.
કથા દરમિયાન તા.ર૯ને બુધવારે બપોરે ૧ વાગ્યે શ્રી નૃસીંહ પ્રાગટય, તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૧.૩૦ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ તથા બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ ઉજવાશે.
તા.૧ ઓકટોબરને શુક્રવારે બપોરે ૧૧ વાગ્યે માખણચોરી લીલા, બપોરે ૧ર.૪પ વાગ્યે ગોવર્ધન લીલા (અન્નકોટ દર્શન) તથા તા.ર ને શનીવારે બપોરે ૧ર.૩૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ તથા તા.૩ ને રવીવારે બપોરે ૧૧ વાગ્યે સુદામા ચરીત્ર પ્રસંગ ઉજવાશે અને બપોરે ૧ર.૩૦ વાગ્યે કથા વિરામ લેશે.
ત્યાર બાદ તા.૩ ને રવિવારે બપોરે ૧ર.૪પ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ વિરામ બાદ તા.૩ ને રવિવારે બપોરે ૩.૪પ થી સાંજના ૬ વાગ્યા સુધી દશાંશ યજ્ઞનું આયોજન કરાયું છે.
સા.રામક્રિષ્ણ કે.ખખ્ખર (વકીલ) સ્વ.દિવાળીબેન આર.ખખ્ખર, સ્વ.નયનાબેન એચ.ખખ્ખરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે અંતરીક્ષમાંથી સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ) સ્વ. જયકુંવરબેન પી.ખખ્ખર, સ્વ.વસંતભાઇ પી.ખખ્ખર (વકીલ)
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સ્વ.પ્રેમલાલભાઇ કેવલચંદ ખખ્ખર (વકીલ) પરીવાર વતી ગં.સ્વ.પુષ્પાબેન વસંતભાઇ ખખ્ખર, ડો. હર્ષદભાઇ પી.ખખ્ખર (સર્જન), શ્રી રાજેશભાઇ વી.ખખ્ખર, અ.સૌ.નીલાબેન આર.ખખ્ખર, શ્રી મનીષભાઇ એચ.ખખ્ખર (એડવોકેટ) અ.સૌ. ફાલ્ગુનીબેન એમ.ખખ્ખર, ડો.જીમીતભાઇ આર.ખખ્ખર, અ.સૌ.કરીશ્માબેન જી.ખખ્ખર, સૌ.કા. નિરાલી તથા અલય એમ.ખખ્ખર (એડવોકેટ) તથા શ્રીમતી ડો.દેવ્યાનીબેન ચેતનભાઇ હિન્ડોચા, શ્રીમતી સંગીતાબેન જયદીપભાઇ ચંદારાણા, શ્રીમતી નીતાબેન જીજ્ઞેશભાઇ કાનાબાર, શ્રીમતી હિરલબેન રોહીતકુમાર હિન્ડોચા પરીવારે આમંત્રણ પાઠવ્યું છે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા ડો.હર્ષદભાઇ પી.ખખ્ખર (સર્જન), મનીષભાઇ એચ.ખખ્ખર (એડવોકેટ), અલયભાઇ એમ. ખખ્ખર (એડવોકેટ), 'રઘુવીર' વૈશાલીનગર, ૧મહિલા કોલેજ પાસે રાજકોટ મો.૯૪ર૭ર રરર૦૪, મો.૯૪ર૬ર ર૯૪૦૮, મો.૭૭૭૮૦ ૦૦૦૯પ દ્વારા આયોજન કરાયું છે.
- જોડિયામાં ભૂકંપમાં પૂ. સતી માતાજીની છત સતના પ્રતાપે અડગ ટકી રહી હતીઃ ખખ્ખર પરિવારે માર્બલનું મંદિર બનાવ્યુ
રાજકોટ તા. ર૪ :.. ર૬ જાન્યુઆરી ર૦૦૧ ની સાલમાં ભૂકંપમાં જોડીયાના આશરે ૮૦ ટકા મકાનો પડી ગયા. પૂ. સતી માતાજીના મંદિરની દિવાલો પડી જવા છતાં મંદિરની છત પૂ. સતી માતાજીના સતના પ્રતાપે છત્ર તરીકે અડગ ટકી રહેલ. મંદિરનો જીર્ણોધ્ધાર, માર્બલનું મંદિર બનાવવા માટે જાતે દેખરેખ નીચે તેમના પૌત્ર ચિ. મનિષભાઇ હર્ષદભાઇ ખખ્ખર (એડવોકેટ) તથા પ્રપૌત્ર ચિ. અલયભાઇ મનિષભાઇ ખખ્ખર કરેલ છે.
આ મંદિરનો લેખ શ્રી પ્રેમલાલભાઇ કે. વકીલના નામનો છે. અમારા પૂ. પિતાશ્રી પ્રેમલાલભાઇ કેવળચંદભાઇ ખખ્ખર કર્મયોગી હતાં. વ્યવસાયે બાહોશ વકીલ અને સમાજ સેવક હતા અને એ જમાનામાં પ્રખ્યાત વીરાવાળા ઉનનો ફાર્બસ કેસમાં લડેલા અનેક દિવાની ફોજદારી કેસોમાં તેઓએ નામના મેળવેલ. તેઓ જોડીયા ગામમાં ઇ. સ. ૧૯૪૮ ની શરૂઆતથી ૧૯૬ર સુધી પ્રમુખ તરીકે સેવા આપેલ અને જોડીયા ગામમાં ઇલેકટ્રીક, રસ્તા તથા ઘેર ઘેર નળ માટે પ્રયત્ન કરેલ. પ્રેમાળ પિતા, ધાર્મિક, પરોપકારી તથા સ્પષ્ટ વકતા અને શિક્ષણ પ્રેમી હતાં.
- ગો.વા. નયનાબેન ખખ્ખર ધર્મપરાયણ - પરોપકારી- કર્તવ્યનિષ્ઠ-પતિવ્રતા-કરૂણાસભર મહિલા હતા
રાજકોટ,તા. ર૪ : ગો.વા. નયનાબેન હર્ષદભાઇ ખખ્ખરનો જન્મ પ.પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના પરમ કૃપાપાત્ર શિષ્ય શ્રી સ્વ. જેઠાલાલ કલ્યાણજી નથવાણી પરિવારમાં તા. ૧૩-૧૦-૧૯૪ર, આશો સુદ-૪ના રોજ થયો હતો.
પૂજય નયનાબેનના લગ્ન તા. ર૯-૪-૧૯૬૬ ના રોજ જોડિયા નિવાસી સ્વ. પ્રેમલાલ કે. વકીલના પુત્ર ડો. હર્ષદભાઇ પ્રેમલાલ ખખ્ખર સાથે થયેલ. તેઓ ધર્મપરાયણ-પરોપકારી કર્તવ્યનિષ્ઠ અને પતિવ્રતા, કરૂણાસભર નારી હતા. હૃદયની વિશાળતા, કુટુંબ વાત્સલ્યતા અને ગુરૂદેવમાં અનન્ય શ્રધ્ધા ધરાવતા હતા. તેઓએ સંતાનોેને ધાર્મિક સંસ્કાર આપ્યા છે. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં, હસતાં ચહેરે ધાર્મિક કાર્યો માટે સામાજિક કાર્યો માટે, અમોને પ્રોત્સાહિત કરી, કર્તવ્યનિષ્ઠ રહેવા પ્રેરણા આપી છે. પૂ. નયનાબેન તા. ૧૮-૩-ર૦૧ર, ફાગણ વદ-૧૧, રવિવારે સવારે ૬-૩૦ કલાકે રામનામ લેતા લેતા રામશરણ થયેલ.
- પૂ. જયાકુંવરબેન ખખ્ખરને પૂ. સતી માતાજી ઉપર અતૂટ શ્રધ્ધાના કારણે સ્વપ્ન આવ્યુ અને ર પુત્રો આપીશ તેમ માતાજીએ કહ્યુ
રાજકોટ તા. ર૪ :.. પરમ પૂજય જયાકુંવરબેન પ્રેમલાલ ખખ્ખર સદૈવ પતિને પરમેશ્વર ગણી પ્રભુમય જીવન જીવ્યા, તેઓ સૂર્ય નારાયણને પ્રાર્થના કર્યા સિવાય તેમજ સતીમાતાજીના દર્શન કર્યા સિવાય ભોજન કરતાં નહીં. તેઓ સ્વભાવે ભોળા હતાં. એક જ વર્ષમાં બે-બે યુવાન પુત્રો સ્વર્ગવાસ થતાં, પૂ. સતી માતાજી ઉપરની અતૂટ શ્રધ્ધાના પ્રતાપે પૂ. માતાજીએ હજી તને બે પુત્ર આપીશ તેવું સ્વપ્નમાં જણાવ્યું અને તે બે પુત્રો શ્રી વસંતભાઇ પી. ખખ્ખર (એડવોકેટ) તથા ડો. હર્ષદભાઇ પી. ખખ્ખર (સર્જન) છે. તેઓ ઉપર પૂ. સતી માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિ છે. તેઓને કરીયાવરમાં આવેલ ગાયનો વંશવેલો તેઓએ સતત ઉછેરી ગૌ સેવા કરતા. પ્રભુ ભજન, ભુખ્યાને ભોજન અને દુઃખિયાની સેવા એ જ એમનો જીવન મંત્ર હતો. પૂ. સતી માતાજીના પ્રાગટય સ્થળે એક મંદિર (કચ્છી શેરીમાં) જોડીયામાં બંધાવી નિત્ય પુજા પાઠ કરતાં, ખખ્ખર કુટુંબના કુળદેવી તરીકે આજે પણ ખખ્ખર કુટુંબના દીકરાના બાલમોવારાનાં કર, લગ્ન પ્રસંગની છેડા છેડી છોડવા વિગેરે પ્રસંગો જોડીયામાં પૂ. સતી માતાજીના મંદિરે થાય છે.
કયારે કયા પ્રસંગો ઉજવાશે
|
તારીખ સમય પ્રસંગ
|
ર૭-૯-ર૧ ૯.૪પ વાગ્યે પોથી યાત્રા
|
'' ૧૦.૩૦ '' કથા પ્રારંભ
|
ર૯-૯-ર૧ ૧.૦૦ '' શ્રી નૃસિંહ પ્રાગટય
|
૩૦-૯-ર૧ ૧૦.૩૦ '' શ્રી વામન પ્રાગટય
|
'' ૧૧.૩૦ '' શ્રી રામ જન્મોત્સવ
|
'' ૧ર.૩૦ '' શ્રી કૃષ્ણ જન્મોત્સવ
|
૧-૧૦-ર૧ ૧૧.૦૦ '' માખણચોરી લીલા
|
'' ૧ર.૪પ '' ગોવર્ધન લીલા અન્નકોટ દર્શન
|
ર-૧૦-ર૧ ૧ર.૩૦ '' રૂક્ષ્મણી વિવાહ
|
૩-૧૦-ર૧ ૧૧.૦૦ '' સુદામા ચરીત્ર
|
'' ૧ર.૩૦ '' કથા વિરામ
|
'' ૧ર.૪પ '' મહાપ્રસાદ
|
'' ૩.૪પ થી ૬.૦૦ વાગ્યે દશાંશયજ્ઞ
|