Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજુલામાં પૂ. જલારામ જયંતિના લોહાણા મહાજન વાડીનું ખાતમુહુર્ત

રાજુલા : જલારામ બાપાની રર૧ મી જન્મ જયંતિના શુભ દિવસે રાજુલા જીવીબેન ચત્રભુજભાઇ રાયચા, લોહાણા મહાજન વાડીના અદ્યતન નવા મકાનનું ખાતમુહુર્ત રાજુલા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણોતરા સદસ્ય શ્રી અને અમરેલી જીલ્લાના દરેક તાલુકાના લોહાણા મહાજનના હોેદેદારોશ્રીઓ અને રાજૂલા લોહાણા જ્ઞાતિના ભાઇઓ - બહેનોની હાજરીમાં સંપન્ન થયેલ છે. નવીનીકરણના સહયોગ દાતાશ્રીઓ અમદાવાદ નિવાસી ઉર્મીન ગ્રુપ ઓફ કંપની જ ના માતુશ્રી ઉર્મિલાબેન નાનુભઇ મજીઠીયા પરિવાર હસ્તે શિતલબેન એ કૌશિકભાઇ મજીઠીયા, ક્રિષ્નાબેન અને રાજેન્દ્ર મજીઠીયા, સારીકાબેન અને તેજસભાઇ મજીઠીયા જેઓ 'બાગબાન બ્રાન્ડ' થી સુગંધીત તમાકુ અને 'બંસીરામ બ્રાન્ડ'ની નમકીનના ઉત્પાદનકર્તા છે. સાથે સહયોગી દાતાશ્રી અમદાવાદ નિવાસી જેનીથ હેલ્થકેર લીમીટેડ, દવાના ઉત્પાદનની કંપનીના પ્રમોટર અને સીએમડી નીલાબેન અને મહેન્દ્રભાઇ રાયચા અને જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર જલ્પાબેન અને અક્ષિતભાઇ રાયચાના એન. એમ. રાયચા ફાઉન્ડેશન દ્વારા નવા મકાનના બાંધકામ માટે બન્ને પરિવાર દ્વારા પુરેપુરૃં અનુદાન આપેલ છે. (તસ્વીર - અહેવાલ : શિવકુમાર રાજગોર -રાજુલા)

(10:08 am IST)