Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જોડિયા શ્રી જલારામ મંદિરે સાદાઇથી ઉજવણી

 વાંકાનેરઃ જોડિયામાં શ્રી લોહાણા મહાજનવાડીમાં આવેલ શ્રી જલારામ મંદિરમાં જોડિયા લોહાણા મહાજન દ્વારા સંતશિોરમણીશ્રી જલારામબાપાની (રર૧) મી જન્મ જયંતીની આ વરસેકોરોનાની મહામારી હોય સાદાઇથી ઉજવણી કરવામાં આવેલ હતી.  પૂજય જલારામબાપાનું પુજન અર્ચનવિધિ મહાજનના અગ્રણીઓએ કરેલ હતું. તેમજ દીપમાળાની મહાઆરતી કરવામાં આવેલ હતી જોડિયા લોહાણા મહાજનના સહુ જ્ઞાતિજનોએ બાપાના પુજનનો, દર્શન, આરતીનો લાભ લીધેલ હતો. તેમજ આ વરસે કોરોનાની મહામારી હોય સાંજે મહા પ્રસાદનું આયોજન બંધ હતું ભકતજનોને પેકીંગમા પ્રસાદ આપેલ હતો. તેમ ભરતભાઇ ગણાત્રાએ જણાવેલ છે.

(11:37 am IST)