Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફરી વાર સીન્ડીકેટ મેમ્બર તરીકે હેરમા

જુનાગઢ તા. ર૪ :.. જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફરી વાર સીન્ડીકેટ મેમ્બર તરીકે સરકાર દ્વારા ચંદ્રેશભાઇ હેરમા સહિત  ૪ ની નિમણુંક કરેલ છે.

જેમાં ચંદ્રેશભાઇ હેરમા (જુનાગઢ) ભાવનાબેન અજમેરા (મેંદરડા), જય ત્રિવેદી (માંગરોળ) તેમજ પ્રો. જીવનભાઇ વાળા (ગીર સોમનાથ)નો સમાવેશ કરાયો છે. ચંદ્રેશભાઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ૧૯૮૯ માં કાર્યકર્તા પૂર્વ પ્રદેશ સહમંત્રી તેમજ જુનાગઢ શહેર ભાજપનાં મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા ેછે. અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય બોર્ડ ઝોન સંયોજક એવા ચંદ્રેશભાઇને ફરી સીન્ડીકેટ મેમ્બરની જવાબદારી મળતા તેઓને મો. ૯૪ર૬૪ ૧૯૯૭પ, ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:31 pm IST)