Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સુરેન્‍દ્રનગરના દુધરેજમાંથી પરિણીતા લાપતા

વઢવાણ, તા.૨૫: સુરેન્‍દ્રનગરના દુધરેજ ગામમાં પટેલ શેરીમાં રહેતા ખેડૂત ૩૧ વર્ષીય કુલદીપભાઈ સુખદેવભાઈ લાદોલા પટેલના લગ્ન રતનપરના અસ્‍મીતાબેન સાથે થયા હતા. તા. ૩૦ નવેમ્‍બર ૨૦૨૨ના રોજ અસ્‍મીતાબેન સવારે ૮ વાગ્‍યે ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલ્‍યા ગયા છે. સગા-સબંધીઓને ત્‍યાં અને અસ્‍મીતાબેનના પીયર શોધખોળ કરવા છતાં કોઈ અત્તો પત્તો ન લાગતા અંતે કુલદીપભાઈએ ૨૨ વર્ષીય અસ્‍મીતાબેન ગુમ થયાની એ ડિવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર કાંતીલાલ પરમાર અને વી.એમ.ડેર ચલાવી રહ્યા છે.

(10:44 am IST)