Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ખેડૂતની આત્મહત્યા

મેંદરડાના ખીમપાદર ગામે અરેરાટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે મેંદરડાના ખેડૂતે આત્મહત્યા કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જૂનાગઢ જિલ્લાના મેંરદડા તાલુકાના ખીમપાદર ગામે રહેતા દેવાયતભાઇ અરસીભાઇ અખેડ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢને ખેતી જમીન ટુંકી હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી થતા ટેન્શનમાં હતા.

ગઇકાલે દેવાયતભાઇએ પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જ્યાં તેનું મૃત્યુ નિપજતાં એએસઆઇ આર.એમ.સોલંકીએ પીએમ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.ડાંગર ચલાવી રહ્યા છે.

(12:51 pm IST)