Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

માળીયાહાટીનામાં રામ મંદિરના લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાશે

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના તા. ૨૫ : આગામી તા. ૩૦  થી તારીખ ૭   સુધી નવ દિવસ સુધી  શ્રી રામ મંદિરના લાભાર્થે રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન ગામના સાત સહકારથી  કરવામાં આવેલ છે. આ કથાના વક્‍તા પદે ચોરવાડવાળા ભીખુ બાપુ ગોસ્‍વામી બિરાજે સંગીત સાથે કથાનું મધુર રસપાન કરાવશે.

આ મહોત્‍સવ અંતર્ગત શ્રી મહાદેવ નું પ્રાગટય શિવદેવીનું પ્રાગટય  શિવ પાર્વતી લગ્ન કાર્તિકેય સ્‍વામી નો જન્‍મ સહિતના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.ે આ કથા શ્રવણનો લાભ લેવા આયોજક સમિતિએ જણાવેલ છે કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ત્રણથી છનો રાખેલ છે.

(10:55 am IST)