Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાવનગરના રાજપરાના સગીર યુવક-યુવતીનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

એક સાથે બે ના મોતથી રાજપરા ગામમાં ઘેરો શોક છવાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામ નજીક સગીર યુવક અને યુવતીએ કોઈ કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્‍મહત્‍યા કરી લેતા બન્નેના મૃતદેહને સિહોર દવાખાને ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે ભરતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમાં રહેતો સગીર ચેતન મેહુલભાઈ મકવાણા (ઉં. વ.૧૭) અને આ જ ગામમાં રહેતી સગીરા પ્રિયાંશી સતીષભાઈ મકવાણા (ઉં. વ.૧૭) એ વહેલી સવારે ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી કોઈ કારણોસર આત્‍મહત્‍યા કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી બન્નેના મૃતદેહને સિહોરના સરકારી દવાખાને ખસેડયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

સગીર યુવક યુવતીના આપઘાતના પગલે રાજપરા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી

 

(10:58 am IST)