Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

પોરબંદરથી હાથલા શનિધામની પદયાત્રા

સોબર ગ્રુપ દ્વારા રવિવારે આયોજનઃ પદયાત્રિકો માટે ચા પાણી નાસ્‍તો ઠંડા પીણા

પોરબંદર તા.રપ : સોબરગ્રુપ દ્વારા પોરબંદરથી હાથલા સુધીનું પદયાત્રાનું આયોજન તા.ર૯ને રવિવારે સાંજે ૬.૩૦ કલાકે જયુબેલી રોડ ગોલાઇ હોટલની સામે ગાત્રાળ નિવાસ ખાતેથી કરેલ છે.

પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવનું જન્‍મસ્‍થાને ભગવાન શનિદેવ જન્‍મજયંતી નિમિતે હજારો શ્રધ્‍ધાળુઓ ઉમટે છે. ત્‍યારે સોબરગ્રુપ તા.ર૯ના  રોજ સાંજે ૬.૩૦ કલાકે પદયાત્રા ઉપડશે અને ૩૦ના રોજ સવારે શનિદેવ હાથલા ગામે પહોંચશે.

પદયાત્રીઓને મહિલા મંડળ દ્વારા રક્ષા બાંધવામાં આવશે. પદયાત્રીઓ માટે રસ્‍તામાં ચા - નાસ્‍તા - ઠંડા પીણા સહિતની સુવિધા રાખેલ છે. જેમાં બાબુ ગોળાઇ હોટલ સામેથી ગાત્રાળ નિવાસ રણછોડભાઇ, બોખીરા દેગામ, બાબડા (ફુલપ્રસાદી) તથા બારવાડ, બગવદર, ખાંભોદર, રામવાવ તથા કુબવદર તથા રસ્‍તામાં ઠંડા પીણા ચા ની વ્‍યવસ્‍થા પદયાત્રીઓ માટે રાખેલ છે.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સોબરગ્રુપના તમામ સભ્‍યોની ટીમ જહેમત ઉઠાવી રહી છે ત્‍થા આયોજક દ્વારા રસ્‍તામાં પદયાત્રીઓને કોઇપણ જાતની મુશ્‍કેલી ન પડે તે માટે અનેક પ્રકાર વ્‍યવસ્‍થા રાખેલ છે.

આ પદયાત્રામાં સર્વધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને જોડાવવા માટે વિનસ ચોલેરા મો.૯૭રપ૩ ૭પપપ૩ - તથા હિતેષભાઇ ચંદારાણા મો.૯પ૮૬૪ પ૦૧૦૭ તથા ભીખુભાઇ મહેતા ૯૮રપ૭ ૩૬૬૭૪નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:08 am IST)