Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રીબડા ભાગવત કથા દરમ્‍યાન સંતવાણીના સુૃર રેલાવતા કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર સહિતના કલાકારો

 જુનાગઢઃ રીબડા ખાતે મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજીત પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્દ ભાગવત કથા ચાલી રહી છે. જેમાં રાત્રે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં કીર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર બ્રીજરાજભાઇ ગઢવી, ઓસમાણ મીર, સાંઇરામ દવે, સહિતના કલાકારોએ સંતવાણીના સુર પુ. ભાઇશ્રીની ઉપસ્‍થિતીમાં રેલાવ્‍યા હતા. આ તકે અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ  જાડેજા, રાજદીપસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ (સતુભા) જાડેજા દ્વારા સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાધેલા જુનાગઢ) 

(12:24 pm IST)