Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સેવાકીય કાર્યો સાથે મુન્દ્રામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસની ઉજવણી

કર્મભૂમિ મુન્દ્રા મધ્યે જનસેવા સંસ્થા દ્વારા કરાતા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં અદાણી ગ્રુપનો ઉદાર સહયોગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : અદાણી ગ્રુપ ના ચેરમેન શ્રી ગૌતમ ભાઈ અદાણી નું આજે જન્મદિન છે અને આજે તેમના જન્મદિન પ્રસંગે મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને મનભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું અને હાલની વિકટ પરિસ્થિતિમાં શહેરના જરૂરતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આજથી ૫ વર્ષ પહેલા શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ગ્રુપના એકઝીકયુટીવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહ પાસે વિનંતી કરતા તેમના સહયોગથી જનસેવા સંસ્થાને સેવાકીય વાહન મીની ટેમ્પો પ્રાપ્ત થયો હતો.

તેમજ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પ્રથમ તબક્કાના લોકડાઉનમાં ભૂખ્યાને ભોજન આપવા માટે તેમજ જરૂરતમંદ લોકોને રાશનકીટોના વિતરણ માટે જનસેવા સંસ્થાને અદાણી ગ્રુપનો ખુબ જ ઉમદા સહયોગ મળ્યો હતો. અદાણી ગ્રુપના એકઝીકયુટીવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહના જન્મદિન પ્રસંગે ગરીબ વસાહતના ભૂલકાઓ માટે શિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો હતો. જોકે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે શિક્ષણના વર્ગ હાલ બંધ છે.

તો, ચોમાસાની સીઝનમાં શહેરની આજુબાજુ ખુલ્લા ઝૂપડામાં રહેતાં શ્રમજીવીઓ માટે અદાણી ગ્રુપ દ્વારા જનસેવા સંસ્થાના માધ્યમથી તાલપત્રીનું વિતરણ કરવામાં આવે છે. જનસેવા સંસ્થાની સેવાકીય પ્રવૃત્ત્િ। માં અદાણી ગ્રુપનો ઉદાર સહયોગ રહ્યો છે. આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ગ્રુપના જયદીપભાઈ શાહ, રમેશભાઈ આયડી અને કરસનભાઈ ગઢવી મુન્દ્રાની ગરીબ વસાહતોમાં પહોંચ્યા હતા અને બાળકોને ભોજન પીરસ્યુ હતું.

જનસેવા સંસ્થાના રાજ સંઘવી, અસલમ માંજોઠી, ભીમજી જોગી, દેવજી જોગીએ જહેમત ઉઠાવી હતી.

(11:47 am IST)