Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જુનાગઢના પત્રકારના જન્મદિવસે રકતદાન કેમ્પ યોજાયો એક મહિલાને રોપવેની યાત્રા કરવી

જુનાગઢ તા. રપ : પત્રકાર દર્શન જોષીના પિતાશ્રીના જન્મદિવસ પ્રસંગે દર્શન દ્વારા શહેરના રેડક્રોસ હોલમાં રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં સ્વામિનારાણાય સંપ્રદાયના કોઠારી સ્વામી સહિતના સંતો ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ધારાસભ્ય ભીખાભાઇ જોષીના ચિરંજીવી મનોજભાઇ જોષી, માહિતી અધિકારી અર્જુનભાઇ પરમર, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડો. સુશીલકુમાર, જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધયાય, દાતાર સેવક બટુકબાપુ, જિલ્લાના રાજકીય અગ્રણી જેઠાભાઇ પોનરા, જિલ્લા પ્રમુખ અતુલભાઇ શેખડા  અગ્રણી અનિલભાઇ ઉદાણી, સિનિયર એડવોકેટ અજય જોબનપુત્રા, મનિષાબેન દવે, શહેર ભાજપના પુર્વ મહિલા પ્રમુખ કનકબેન વ્યાસ, કોર્પોરેટર આરતીબેન જોષી, હિતેન્દ્ર ઉદાણી સહિતના અગ્રણીઓએ યુવા પત્રકાર દર્શનના પોતાના પિતાશ્રીનો  જન્મ દિનની કામગીરીને બિરદાવી હતી અને પત્રકાર મિલનભાઇ જોષીને દીર્ધાયુષ્ય માટે સંતો મહંતો અને અગ્રણીઓએ આશીર્વાદ શુભેચ્છા અપી હતી.

રકતદાન પૂર્વે પત્રકાર જોષી દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા એક દીકરી તથા અંધ દીકરીઓ માટે સંસ્થા ચલાવતા એક મહિલા અગ્રણીને રોપવે દ્વારા ગિરનાર યાત્રા કરાવી માં અંબાના પુજન-અર્ચન કરાવ્યા હતા આ ભગીરથ કાર્યને દીપવવામાં દર્શનભાઇ જોષી, ગીતાબેન જોષી, ભાવિકા જોષી, એકતાબેન કનેરીયા, જીગ્નેશભાઇ મહેતા તથા બીના સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(12:51 pm IST)