Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદરમાં શોર્ટ લાગતા મૃત્‍યુ થયેલ ર ગાયોને અજાણ્‍યા શખ્‍સો દ્વારા લઇ જવા પ્રયાસ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫: એરપોર્ટ સામે રોડ સાઇડ વીજ વાયરના અર્થિંગ લીકેજથી શોર્ટ  લાગતા  મૃત્‍યુ થયેલ ર ગાયોને અજાણ્‍યા શખ્‍સો રીક્ષામાં લઇ જવા પ્રયાસ કરતા લોકોએ અટકાવ્‍યા હતા.

શોર્ટ લાગતા મૃત્‍યુ થયેલ રગાયોને લઇ જતા પ્રયાસ કરનારા અજાણ્‍યા શખ્‍સો સામે કમલબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ જેઠાભાઇ ભનાભાઇ  ચાવડા અને પોપટભાઇ ગોવાભાઇએ નોંધાવી છે. તેમજ ખુલ્લા અર્થિંગ વીજ વાયર અંગે તટસ્‍થ તપાસ કરવા માંગણી કરી છે. દરમિયાન ઉદ્યોગનગર વીજ સબ સ્‍ટેશનના નાયબ ઇજનેર ભગવાનજીભાઇ રાડાએ જણાવેલ કે ખુલ્લા અર્થિંગ વાયર સ્‍થળે વીજ ટીમે તપાસ કરીને નજીકમાં ટોલ પ્‍લઝાને જાણ કરીને નવો કેબલ નાખી દેવામાં આવ્‍યો છે

(3:10 pm IST)