Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જગતમંદિરમાં અધિક માસમાં ગોપાષ્ટમી પર્વની ઉજવણી

 દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આવેલ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્ત્।મ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતાં ઉત્સવોની ઊજવણી કરવામાં આવે છે.  જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રોકત કથા મુજબ બાલકૃષ્ણે માતા યશોદા પાસે તેમના મિત્રગણ સાથે ગાયો ચરાવવા જવા અનુમતી માગતા માતા યશોદાની અનુમતિથી સૌપ્રથમવાર ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળિયાના વસ્ત્રો પરિધાન કરી જંગલમાં ગાયો ચરાવવા ગયા હતા. ત્યારથી કારતક સુદ અષ્ટમીના જગતમંદિરમાં ગોપાષ્ટમી ઉત્સવ ઉજવાય છે.

(10:27 am IST)