Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જસદણ : આલણસાગર તળાવના પાળાના બાવળ દૂર કરવા માંગ

જસદણ : જસદણને પીવા અને ખેતી માટે પાણી પુરૂ પાડતુ આલણસાગર તળાવની પાળમાં વર્ષોથી બાવળ દૂર અને માટી પુરવામાં ન આવતા આ પાળો ભવિષ્યમાં નબળો પડી જવાની દહેશત સામાજિક કાર્યકર હરિભાઇ હિરપરાએ વ્યકત કરી છે તેમણે જણાવ્યુ કે તળાવનો આધારસ્થંભ આ પાળો બચાવવા તંત્રએ હવે જાગવુ જોઇએ. તસ્વીરમાં બાવળના ઝુંડ નજરે પડે છે.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:32 am IST)