Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાપરમાં ધારાસભ્યના કાર્યાલય નીચે ધારાશાસ્ત્રીની કરપીણ હત્યા

છરીના ત્રણેક ઘા ઝીકી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીને મોતને ઘાટ ઉતારાયા : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાપર : શહેરના દેના બેંક ચોકથી આગળ સરકારી વસાહની સામે રાપરના ધારાસભ્યના કાર્યાલય નીચે જ એક ધારાશાસ્ત્રીની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે રાપર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના કાર્યાલય નીચે જ હત્યાનો બનાવ બન્યો હતો. રાપર પીઆઈ જી.એલ. ચૌધરીના જણાવ્યા પ્રમાણે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીને ત્રણેક છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બનાવને પગલે ખુદ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. ઘટના બાદ પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા સહિત બનાવ કઈ રીતે બન્યો અને કોણે ઘટનાને અંજામ આપ્યો તે સહિતની તપાસ આદરી હતી. પીઆઈ ખુદ તપાસમાં હોવાથી બનાવ પાછળનું ચોક્કસ કારણ તેમજ કોના દ્વારા ઘટનાને અંજામ અપાયો તે જણાવી શક્યા ન હતા. પોલીસે પંચનામું કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બનાવ અંગેની વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે.

(9:09 pm IST)