Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મોરબીમાં તુષાર સવઘરે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી : કારણ અંગે તપાસ

લાલપર પાસે કારખાનામાં પરપ્રાંતીય પરણિતાએ ફિનાઇલ પી લીધુ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબીના આસ્વાદ પાનની બાજુમાં મહેન્દ્રપરા વિસ્તારમાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો તુષારભાઈ કરશનભાઈ સવદ્યર (ઉ.૧૮) એ આસ્વાદ પાનની બાજુમાં મહેન્દ્રપરામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે આપઘાતના કારણે અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના લાલપર ગામ નજીક આવેલ શ્રીજી ગોલ્ડ કારખાના રહેતી પુનીતાબેન ચારલેક્ષ ઉડેપાગ (ઉ.૨૦) એ કોઈ અગમ્ય કારણોસર મજુર ઓરડીમાં ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો પુનીતાબેનના લગ્નને ૧ વર્ષનો સમય થયો હોવાની માહિતી પોલીસે પાસેથી મળી હતી તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)