Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઘર હોય ત્યાં વાસણો ખખડવા અને વળી પાછા ભેગા થઇ જાય : નારણભાઇ કાછડીયા

નીતિનભાઇ પટેલ વચ્ચેના શાબ્દીક ડખ્ખા અંગે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં અમરેલીના સાંસદનું નિવેદન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. રપ :  તાજેતરમાં જ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચેના શાબ્દીક યુદ્ધ અંગેનો પ્રત્યુત્તર દ્વારકાધીશ મંદિર પરિસરમાં સોશ્યલ મીડીયાની મુલાકાત આપતા કહ્યું હતું કે ઘર હોય ત્યાં વાસણો ખખડવાના છે અને વળી પાછા ભેગા થઇ જાય તેવા ગામઠી ઉતર સાથે જણાવ્યું હતું.

નારણભાઇ અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યાક્ષ સુરેશભાઇ આયોજીત ધ્વજાજીના કાર્યક્રમમાં હાજરી આપવા દ્વારકા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે દ્વારકાધીશના આજના મેઘરાજા સાથેના આગમન થતા દ્વારકાધીશના દર્શનની એક  વિશેષ અનુભૂતિ અનુભવી હતી.

તેઓ એક સાંસદ તરીકે નહિ પણ દ્વારકા અવાર-નવાર એક કોમન મેન તરીકે જ આવે છે તેમ કહ્યું હતું. 

(3:04 pm IST)