Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગરના ભુમાફીયા જયેશ પટેલ ગેંગના ૧૨ સાગ્રીતો વિરૂધ્ધ ૧૮ નવેમ્બરે તહોમતનામું ફરમાવાશે

ગુજરાતની વિવિધ જેલોમાં રહેલ ગુજસીટોક કેસના આરોપીઓને રાજકોટની સ્પે. કોર્ટમાં રજુ કરાયા : છ માસ પહેલા ચાર્જશીટ મુકાયું હતું : આરોપીઓ વિરૂધ્ધ કેસ ચલાવવાની પ્રક્રિયા હવે શરૂ થશે : વકીલ-પોલીસમેન સહિતના આરોપીઓની સંડોવણી..: અમદાવાદના ૨ અને સુરતના ૨ એમ કુલ ૪ આરોપીઓ ગેરહાજર રહેતા મુદ્દત પડી

રાજકોટઃ જામનગર ગુજસીટોક કેસના આરોપીઓ સામેનો કેસ આજે ચાર્જફ્રેમ થવાનો હોય, આ કેસના છ આરોપીઓ કોર્ટમાં રજુ કર્યા હતા તે સમયની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૨૫: જામનગરના ભાગેડુ ભુમાફીયા જયેશ પટેલના ૧૨-સાગરીતો સામે 'ગુજસીટોક' કાયદા હેઠળ નોધાયેલ ફોજદારી કેસમા ૬-માસની અવધી દરમ્યાન તમામ સામે તપાસનીશ અમલદારે એપ્રિલ-૨૦૨૧ મા વિવિધ કાયદાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતું. ચાર્જશીટ રજુ થયા બાદની તમામ આરોપીઓની જામીન અરજીઓ રાજકોટની ખાસ અદાલતે તેમજ નામ. ગુજરાત હાઈકોર્ટે રદ કરેલ હતી. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ હવે આ તમામ આરોપીઓ સામે ખાસ અદાલત  'ગુજસીટોક' તેમજ ઈન્ડીયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ તહોમતનામુ ઘડી આરોપીઓ સામેનો પુરાવો નોધવાની કાર્યવાહી શરૂ કરશે. આ માટે રાજકોટની ખાસ અદાલતે તમામ આરોપીઓને સુરત, બરોડા, અમદાવાદ, જામનગર, રાજકોટ, નડીયાદ વિગેરેની જેલોમાથી તહોમતનામ્ ફરમાવવા માટે આજે હાજર રહેવાનો આદેશ કર્યો હતો પરંતુ આજે અમદાવાદના જેલમાં રહેલા આરોપી પૂર્વ પોલીસમેન વશરામ મિયાત્રા અને અનિલ ડાંગરીયા તથા સુરત જેલમાં રહેલ અનિલ પરમાર અને મુકેશ અભંગી આજે ગેરહાજર રહેતા અદાલતે ૧૮ નવેમ્બરના રોજ તહોમતનામુ ફરમાવશે.

રાજકોટની ખાસ અદાલતના આ હુકમ મુજબ ભમાફીયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતા અનિલ દિનેશભાઈ ડાગરીયા, જયેશ પટેલના વકિલ તરીકે કામ કરતા વસંતલાલ લીલાધર માનસતા, નાણાકીય લેવડ-દેવડ કરતા મુકેશ વલ્લભભાઈ અભગી તથા નિલેશ મનસખભાઈ ટોલીયા, જયેશ પટેલના  'મસલમેન' તરીકે કામ કરતા જાડેજા બંધુઓ યશપાલસિહ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલસિહ મહેન્દ્રસિંહ જાડેજા, નાણાકીય લેવડ-દેવડ અને આગડીયાની સવલત કરી આપતા તથા વિદેશમા નાણા પહોચાડવાની વ્યવસ્થા કરી આપતા જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણભાઈ આડતીયા તેમજ પ્રવિણભાઈ પરસોતમભાઈ ચોવટીયા, અનિલ મનજીભાઈ પરમાર અને પ્રફુલભાઈ જેન્તીભાઈ પોપટને આજરોજ ખાસ અદાલતમા હાજર કરાયેલા હતા.

આ ઉપરાત પ્રજાના સેવક તરીકે જામનગર મ્યનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચુટાઈ આવી જયેશ પટેલના કોર્પોરેશનના તમામ કામો પુરા કરી આપતા અતુલભાઈ વિઠલભાઈ ભંડેરી તેમજ પ્રજાની જાનમાલની સરક્ષા માટે પોલીસ અમલદાર તરીકે ફરજ બજાવવાના બદલે જયેશ પટેલ વિરૂધ્ધ ફરીયાદ આપવા આવનાર કોઈપણ વ્યકિતને ડરાવી ધમકાવી આપતા નિવૃત પોલોસમેન વશરામભાઈ ગોવિદભાઈ મિયાત્રાને પણ ખાસ અદાલતમા તેઓ વિરૂધ્ધ તહોમતનામુ ફરમાવવા માટે હાજર કરાયેલ હતા.

આ કેસમા શ્રી સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકિલશ્રી સજયભાઈ કે. વોરા હાજર રહેલા હતા.

(2:41 pm IST)