Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢમાં માનસિક બિમાર યુવાનનું તળાવમાં પડી જતા ડૂબી જવાથી મોત

ભૂલથી કીડી-મકોડા મારવાની ઝેરી દવા પી જતા વૃધ્ધાનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ જુનાગઢમાં માનસિક બિમાર યુવાનું નરસિંહ તળાવમાં પડી જતા ડૂબી જવાથી મોત થયાનું જાણવા મળેલ છે.

જુનાગઢનાં ખોડીયારનગ-બે માં રહેતા સતીષભાઇ રમેશભાઇ હરવાણી (ઉ.વ.૩૮) નામનાં યુવાનનુ઼ ગઇકાલે નરસિંહ મહેતા તળાવમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયું હતું.

મૃતક યુવક માનસિક બિમાર હતો વિશેષ તપાસ બી-ડીવીઝનનાં એએસઆઇ આર. એ. બાબરીયા ચલાવી રહ્યા છે.

મોત

જુનાગઢ તાલુકાના ઇવનગર ગામની દેવુબેન કરશનભાઇ દેત્રોજા (ઉ.વ.૬૦)નું ભુલથી કીડી મકોડા મારવાની જંતુનાશક જેરી દવા પી જતા મોત થવાથી ગમગીની વ્યાપી ગઇ હતી.

(12:40 pm IST)