Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત ૭૦ હોદ્દેદારોએ એકાએક રાજીનામાં ધરી દેતા ખળભળાટઃ હોદેદારોની અવગણનાના કારણે ભારે નારાજગી

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ જામનગર માં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત ૭૦ હોદ્દેદારોએ એકાએક રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી ગયો છે જામનગરમાં જુદા જુદા હોદ્દા  ઉપર રહેલા આમ આદમી પાર્ટીના ૭૦ હોદ્દેદારોએ શા માટે રાજીનામા આપ્યા તે ચર્ચાનો વિષય છે હાલ તો એક સાથે ૭૦ વ્યક્તિઓના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે. રાજીનામા પત્રમાં જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ  ભાવેશ સંભાળીયાએ જણાવ્યુ છે કે પાર્ટીમાં સતત હોદેદારોને અવગણમાં આવે છે. કાર્યકરોને  સાંભળવામાં આવતા નથી તેમજ યોગ્ય જવાબ મળતા નથી. જા કોઇ જરૂરી સુચન કરે તો તેને પાર્ટી નો વિરોધી ગણી પક્ષમાંથી દુર કરાય છે અને કોઇ એક વ્યકિતના  ઇશારે પાર્ટીને બધુ ચલાવી લેવાય છે જે પક્ષની વિચારધારા વિરૂધ્ધ છે. કોઇપણ ખોટા નિર્ણયોનો વિરોધ કરવો તે પાર્ટીના કાર્યકરનો હકક છે. સંગઠન બનવાની જગ્યાએ તૂટે છે જેથી અમે અમારા હોદાઓ ઉપરથી રાજીનામાં આપીએ છીએ. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(3:52 pm IST)