Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સાંજે બ્રિજેશ મેરજા મોરબીમાં: કાલે જામનગર-રાજકોટમાં

રાજકોટઃ. રાજ્યના પંચાયત અને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આગામી બે-ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે ૪ વાગ્યે મોરબી પહોંચી ૪.૩૦ વાગ્યે ચકમપર ગામમાં ભાગવત્ કથામાં હાજરી આપશે. આજે રાત્રી રોકાણ મોરબીમાં છે.

શ્રી મેરજા કાલે સવારે ૯ વાગ્યે મોરબીના ગાંધી ચોકમાં સંવિધાન ગૌરવ યાત્રામાં હાજરી આપશે. બપોરે ૨ વાગ્યે ટંકારામાં જિલ્લા ભાજપ કારોબારીમાં તથા ૩.૩૦ વાગ્યે અટલ ભવન જામનગર ખાતે સંવિધાન ગૌરવ યાત્રામાં હાજરી આપશે. કાલે સાંજે ૬ વાગ્યે રાજકોટમાં નિરાલી રીસોર્ટ ખાતે પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્ર કાર્યક્રમમા હાજરી આપશે. કાલે રાત્રી રોકાણ રાજકોટમાં છે. શનિવારે મોરબીમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજર રહેશે. રવિવારે ફરી રાજકોટ આવશે. તે દિવસે ૪ વાગ્યે સૌરાષ્ટ્ર એકેડેમીના નવસર્જન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૭ વાગ્યે સુરેન્દ્રનગરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં સ્થાનિક કાર્યક્રમમાં હાજર રહેશે.

(12:33 pm IST)