Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ધોરાજી ખાતે સમાજ સુધારક સંસ્‍થાનું વાર્ષિક અધિવેશન

ધોરાજી : સમાજ સુધારક સંસ્‍થા સુન્ની દાવતે ઇસ્‍લામીનો વાર્ષિક સુન્ની ઇજતેમા ધોરાજીમાં ખ્‍વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્‍ડ  ખાતે યોજવામાં આવેલું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે મુફ્‌તી ગુલામ ગોસ અલ્‍વી  ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે સર્વ પ્રથમ બુલબુલે બાગે મદીના કારી  મોહમ્‍મદ કારી રિઝવાન ખાનએ પોતાના મધુર કંઠે નાત શરીફ સંભળાવી હતી અને બાદમાં અલવીએ બયાન કરેલું હતું અને ત્‍યારબાદ હજારો યુવાનોને ગુનાહિત પ્રવળત્તિ છોડાવી દેનાર અને સમાજમાંથી કુરિવાજ નાબૂદ કરવાની પ્રેરણા આપનાર એવા ઓલાદે ગોસે આજમ મૌલાના સૈયદ અમીનુલ કાદરીનું બયાન થયું હતું અને તેઓએ જણાવેલ હતું કે સમાજમાં એજ્‍યુકેશન હશે તો સમાજનો  બાળક આપણા સમાજનું અને દેશનું ભાવિ હશે શિક્ષણ થકી સમાજ ઉજ્‍વળ બને છે અને લોકો શિક્ષણથી દુર થઇ રહ્યા છે ત્‍યારે સમાજ વધુ ગરીબીમાં ધકેલાઈ રહ્યો છે અંતમાં સમાજ સુધારક સંસ્‍થા સુન્ની દાવત એ ઇસ્‍લામી ના વડા મોલાના મોહંમદ શકીર અલી નુરીનું બયાન થયું હતું. જેમાં મોલાનાએ લોકોને વ્‍યસન થી દુર રહવા અને યુવાનોને સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરવા માટે હાકલ કરી હતી અને મોબાઈલ અને સોશિયલ મીડિયાના દૂર ઉપયોગથી બચવા અને પોતાના બાળકોને પણ બચાવવા અપિલ કરી હતી. આ તકે સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી પોષક વારા અને મેમણ સમાજના મોભી અને સમાજ સેવક એવા હાજી ઈદરીશભાઈ કુંડા અબ્‍દુલ હસનફતા સહિત લોકો ઉપસ્‍થિત રહેલ હતા. (તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(10:43 am IST)