Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

હળવદના ઘનશ્‍યામપુર નજીક બે બાઇક વચ્‍ચે અકસ્‍માતઃ એકનું મોત : બે ઇજાગ્રસ્‍ત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૪: ગઈકાલે મોડી સાંજે હળવદ તાલુકાના ઘનશ્‍યામપુર થી ભલગામડા જવાના રોડ પર ચોટીલા ખાતે રહેતા કેતનભાઇ ગગજીભાઈ જાદવ અને ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા મોહનભાઈ માવજીભાઈ ઝાલા ઉંમર વર્ષ ૨૫ના બાઈક વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો આ અકસ્‍માતમાં મોહનભાઈ માવજીભાઈ ઝાલાનુ ઘટના સ્‍થળે જ મોત નીપજયું હતું જયારે કેતનભાઇ ગગજીભાઈ જાદવ રહે ચોટીલા અને પીન્‍ટુભાઇ ભુપતભાઈ ઝાલા રહે રામપરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ આવવામાં આવ્‍યા હતા.

ઇજાગ્રસ્‍તોને પ્રથમ હળવદ સારવાર આપ્‍યા બાદ વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર રીફર કરવામાં આવ્‍યા હતા જયારે બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ મૃતક મોહનભાઈની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.આ અકસ્‍માત મોહનભાઈ અને પીન્‍ટુભાઇ રામપરા થી હળવદ તરફ આવી રહ્યા હતા ત્‍યારે ચોટીલા તરફ જતા કેતનભાઇના બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીયા છે કે અકસ્‍માતના બનાવની જાણ ૧૦૮ ને થતા શૈલેષભાઈ અને દેવાભાઈ ઘટના સ્‍થળે ઇજાગ્રસ્‍તોને લેવા માટે દોડી ગયા હતા જોકે મોહનભાઈના ખીચામાંથી ૨૪,૭૦૦ ની રોકડ અને બે મોબાઈલ પણ ત્‍યાંથી તેઓને મળતા આ રકમ અને મોબાઈલ મોહનભાઈના પરિવારજનોને પરત કરી હતી. 

(10:53 am IST)