Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગોંડલના તળાવમાં ઝંપલાવી સાંઢવાયા ગામના રાજવીરસિંહનો આપઘાત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ર૪: શહેરના  વેરી તળાવમાં સાંઢવાયા ગામના યુવાન રાજવીરસિંહ બળવંતસિંહ રાયજાદા ઉ.વ.રર રહે. સાંઢવાયા જમણા હાથમાં કાંડામાં બ્‍લેડથી ચેકા માર્યા બાદમાં વેરી તળાવમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી. સમગ્ર ઘટનાની જાણ નગરપાલીકા ફાયર ટિમને થતા ઘટના સ્‍થળે પહોંચીને તરવૈયાઓએ પાણીમાંથી ૪ કલાકની જહેમત બાદ મૃતકના મૃતદેહને બહાર કાઢી સિવિલ  હોસ્‍પીટલે પીએમ માટે ખસેડયો હતો. બનાવને લઇને ગોંડલ શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના પરીવારમાં માતા-પિતા અને નાનો ભાઇ હોવાનું સુત્રોએ જણાવ્‍યું હતું.

(11:27 am IST)