Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પોરબંદરના પુરાણ પ્રસિધ્ધ સુદામાજી મંદિરે યાત્રીકોને વિનામુલ્યે ભોજન પ્રસાદનો પ્રારંભ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રપ : પુરાણ પ્રસિધ્ધ સુદામાજી મંદિરે આવતા યાત્રિકો માટે બપોરે વિનામૂલ્યે ભોજન પ્રસાદ (હરીહર) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પૂ. વલ્લભપ્રભૂ સત્સંગ મંડળના પ્રભાબેન મગનભાઇ રૃપારેલ પરિવારના અનુજ પ્રકાશભાઇ રૃપારેલ તેમજ કમલેશભાઇ સોની સુરેશભાઇ ગાંધી, પ્રવિણભાઇ દાવડા ઉર્વિબેન ભરતભાઇ આસાણી સહિત દાત્તાઓના સહકારથી સુદામાજી મંદિરે બપોરે ભોજન-પ્રસાદ (હરીહર) નો પ્રારંભ કરવામાં આવતા યાત્રિકો આ સુવિધાનો વિના  મૂલ્યે લાભ લઇ શકશે.

(2:03 pm IST)